ગાંધીધામ-અંજારમાં કેજરીવાલના રોડ શૉનો ફિયાસ્કો, લોકોની પાંખી હાજરી જોવા મળી

News 16
0
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઈ છે તેની સાથે પાર્ટીઓએ પ્રચાર પણ તેજ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજથી વિધિવત પ્રચાર શરૂ કરી રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસે પણ સભાઓ કરવા માંડી છે. આમ આદમી પાર્ટી પણ પ્રયત્નો કરી રહી છે. જોકે, પાર્ટીને હજુ પણ જમીન પર ખાસ પ્રતિસાદ મળતો દેખાઈ રહ્યો નથી. શનિવારે પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે ગાંધીધામ અને અંજારમાં રોડ શૉ યોજ્યો હતો, જેમાં ખાસ માણસો આવ્યા ન હતા.


શનિવારે અરવિંદ કેજરીવાલે કચ્છના ગાંધીધામ અને અંજારમાં રોડ શૉ કર્યા હતા. રિપોર્ટ અનુસાર, આ રોડ શૉમાં માંડ 200-500 લોકો આવ્યા હતા. તેમજ ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ હોવા છતાં પાર્ટીના ઝંડા બેનરો જોવા મળ્યા હતા, જેને નગરપાલિકાએ હટાવી લેવડાવ્યા હતા.

શનિવારે કેજરીવાલના રોડ શૉ માટે બપોરે 2 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ કેજરીવાલ 4 વાગ્યે ગાંધીધામ પહોંચ્યા હતા. જ્યાં ઝંડાચોકથી સરદાર પટેલ પ્રતિમા સુધીનો 600 મીટર લાંબો રોડ શૉ આયોજિત કરવામાં આવ્યો હતો. જોકે, આ રોડ શૉને ધારેલો પ્રતિસાદ મળ્યો ન હતો અને પાંખી હાજરી જોવા મળી હતી. આ જ રીતે અંજારમાં પણ દેવળિયા નાકથી ગંગાનાકા સુધી રોડ શૉ કર્યો હતો. ત્યાં પણ લોકો ખાસ આવ્યા ન હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top