મોરબી દુર્ઘટનામાં અત્યારસુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ઘટનાના 46 કલાક વીતવા છતાં હજુપણ સર્ચ-ઓપરેશન ચાલુ છે. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સતત 42 કલાકથી સર્ચ-ઓપરેશન કરી રહી છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા છે. જેને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવરજવર બંધ કરાઇ છે.
- મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી, ઘાયલોના ખબર અંતર પૂછ્યા
- વડાપ્રધાન મોદી ઝૂલતા પુલનું નિરીક્ષણ કરી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
- વડાપ્રધાને હર્ષ સંઘવી પાસેથી માહિતી મેળવી
- CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત
- ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું
- PM મોદી મોરબીમાં ઝૂલતા પુલ પર પહોંચ્યા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા
- ધ્રાંગધાના સવિતાબેન બારોટને સિવિલમાં પીએમ મોદી મળશે
- પુલ પડ્યો ત્યારે સવિતાબેન અને તેમના મામી અને તેમના 3 દીકરા પુલ પર જ હતા
- સવિતાબેનના મામી કમળાબેન બારોટનું મોત થયું હતું
- પુલ પડતા સવિતાબેનના માથામાં ગંભીર ઇજ પહોંચી છે
- અત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે


.png)