દિવાળી પહેલાના વ્યસ્ત કાર્યક્રમ બાદ હવે વડાપ્રધાન મોદી દર વર્ષની જેમ આ વખતે પણ સરહદ પર સૈનિકોની સાથે સોશનીનો તહેવાર દિવાળી મનાવવા તૈયાર છે, એક દિવસ પહેલા જ તેમને અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં રામ લલાની પૂજા કરી હતી, તેમને રામ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમિક્ષા કરી હતી. પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યાએ એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
દિવાળીના પ્રસંગે સરયૂ નદીના તટ પર 15 લાખ દિવડાં પ્રગટાવાયા હતા. વળી, પીએમ મોદી ભારત માં ના વીર સપૂતોની સાથે કારગિલમાં દિવાળી મનાવવા માટે પહોંચી ચૂક્યા છે. પીએ મોદી 2014થી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી રહ્યાં છે.
2014ની દિવાળી પીએમ મોદીએ ક્યાં મનાવી ?
વડપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી દર વર્ષ સૈનિકોની સાથે દિવાળી મનાવી રહ્યાં છે. જ્યારે તેમને સિયાચિનમાં સુરક્ષાદળો સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો, સિયાચીન ગ્લેશિયરની બર્ફિલી ઉંચાઇઓ પરથી અને બહાદુર સૈનિકો અને સશસ્ત્રા દળોના અધિકારીઓની સાથે, હું તમને તમામને દિવાળીની શુભેચ્છાઓ પાઠવુ છું.
લાખો દીવાથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા - ગઇકાલે અયોધ્યા નગરી રામમય બની ગઇ હતી. દીપોત્સવની અદભૂત છટા જોવા મળી રહી હતી. રામકથા પાર્કને રાજભવનની માફક શણગારવામાં આવી હતી. પીએમ મોદી મહર્ષિ વશિષ્ઠની ભૂમિકામાં શ્રીરામનું રાજતિલક કરી આરતી ઉતારી હતી. પીએમ મોદી રામનગરીમાં 3 કલાક 20 મિનિટ સુધી રોકાયા હતા.


.png)