દિલ્હીમાં AAP નહીં પાપની સરકાર, ટોયલેટની ગણતરી વર્ગખંડમાં કરીઃ ગૌરવ ભાટિયા

0
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ત્યાં સીબીઆઈના દરોડા બાદ દિલ્હીના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. આ સાથે જ ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા સામે શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વિધાનસભામાં વિશ્વાસનો મત રજૂ કરવાના છે. તે પહેલા જ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને અરવિંદ કેજરીવાલ પર જોરદાર પ્રહારો કર્યા હતા.



ટોયલેટની ગણતરી વર્ગખંડ તરીકે કરાવી

તેમણે જણાવ્યું કે, આપના મેનિફેસ્ટોને જોઈએ તો કેજરીવાલે વચન આપ્યું હતું કે, દિલ્હીમાં 500 નવી શાળાઓ બનાવાશે. શાળાઓ ન બની પરંતુ ખૂબ જ સુનિયોજિત રીતે પહેલા PWD વિભાગ પાસેથી રિપોર્ટ મંગાવ્યો. પછી વર્તમાન શાળાઓમાં વધારાના રૂમ બનાવવાની વાત કરી. શાળાઓમાં 2,400 રૂમની જરૂર હતી તેને વધારીને 7,180 કરવામાં આવ્યા. એક અંદાજ પ્રમાણે તેના લીધે 326 કરોડ રૂપિયાનો ખર્ચો વધ્યો. તે ટેન્ડરની રકમના 53 ટકાથી પણ વધારે હતો. ખર્ચો વધવાના કારણે 6,133 નવા વર્ગખંડનું નિર્માણ કરવાના હતા પરંતુ માત્ર 4,027 વર્ગખંડનું નિર્માણ કરવામાં આવ્યું. તેમણે ટોયલેટની ગણતરી પણ વર્ગખંડ તરીકે કરાવી દીધી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top