સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારત સરકાર દ્વારા તા. 13 થી 15 ઓગસ્ટ-2022 સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કરાયું છે, જે અન્વયે તાપી જિલ્લામાં વિવિધ વિભાગો એકજૂથ થઇ સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે, જેના પગલે આઝાદી બાદ પ્રથમવાર વ્યારા વન વિભાગ દ્વારા ગીચ જંગલ વિસ્તારમાં 18 ચેકપોસ્ટ ઉપર પણ ધ્વજ લેહરવાના આયોજન કરી દેવાયા છે.
વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, ડોલવણ કુકરમુંડા વિસ્તારમાં ગાઢ જંગલમાં વ્યારા વન વિભાગની 18 ચેકપોસ્ટ ઉપર વન વિભાગ દ્વારા ધ્વજ લહેરાવાનો કાર્યક્રમ ડીએફઓ આનંદકુમાર અને વન વિભાગના અધિકારીઓની ટીમે તૈયાર કર્યો છે.


.png)