રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં થયેલા મતદાન અંગે ચૂંટણી આયોગે આપેલી માહિતી અનુસાર કુલ 4,796 સાંસદો અને ધારાસભ્યોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ભારતના 15મા રાષ્ટ્રપતિ નક્કી થશે
આવતીકાલે 21 જુલાઈના રોજ સવારે ભારતના 15મા રાષ્ટ્રપતિ નક્કી કરવા માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી શરુ થશે.
મતગણતરી રાજધાની દિલ્હીમાં જ થાય છે
વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં ભલે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન યોજાતું હોય પરંતુ મતગણતરી રાજધાની દિલ્હીમાં જ થાય છે. જેથી બધી મતપેટીઓને દિલ્હી લાવવામાં આવે છે.
સાંસદો અને ધારાસભ્યોને વિશેષ મતાધિકાર
રાષ્ટ્રપતિને ચૂંટવા માટે દેશના સાંસદો અને ધારાસભ્યોને વિશેષ મતાધિકાર આપવામાં આવે છે. જેથી દેશના રાજ્યોમાં મતદાનનું આયોજન કરાય છે. આ સાથે રાજધાની દિલ્હીમાં સંસંદ ભવન ખાતે પણ મતદાન યોજાય છે.



.png)