Presidential Election Result: આવતીકાલે જાહેર થશે રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરીણામ, ક્યાં-ક્યાં યોજાશે મતગણતરી

0

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં થયેલા મતદાન અંગે ચૂંટણી આયોગે આપેલી માહિતી અનુસાર કુલ 4,796 સાંસદો અને ધારાસભ્યોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ભારતના 15મા રાષ્ટ્રપતિ નક્કી થશે



આવતીકાલે 21 જુલાઈના રોજ સવારે ભારતના 15મા રાષ્ટ્રપતિ નક્કી કરવા માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી શરુ થશે.

મતગણતરી રાજધાની દિલ્હીમાં જ થાય છે

વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં ભલે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન યોજાતું હોય પરંતુ મતગણતરી રાજધાની દિલ્હીમાં જ થાય છે. જેથી બધી મતપેટીઓને દિલ્હી લાવવામાં આવે છે.

સાંસદો અને ધારાસભ્યોને વિશેષ મતાધિકાર

રાષ્ટ્રપતિને ચૂંટવા માટે દેશના સાંસદો અને ધારાસભ્યોને વિશેષ મતાધિકાર આપવામાં આવે છે. જેથી દેશના રાજ્યોમાં મતદાનનું આયોજન કરાય છે. આ સાથે રાજધાની દિલ્હીમાં સંસંદ ભવન ખાતે પણ મતદાન યોજાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top