પરંપરા: ઘાટા ગામે નાંદુરીયા દેવની પૂજા કરાઇ.

0
આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે અને ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો આવે છે.



તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસીઓ દ્વારા પરંપરાગત રીતે પ્રથમ વરસાદ થતાં જ પ્રકૃતિનું જતન કરતાં નાંદુરીયા દેવનું પૂજન અર્ચન વિધી ઘાટા ગામે કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતાં અને પરંપરાગત રીતે પુજન વિધી કરવામાં આવી હતી.



ઘાટા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થાય અને પ્રથમ વરસાદે નવી વનસ્પતિ ઉગી નીકળે છે તે સમયે આદિવાસીઓ દ્વારા નાંદુરીયા દેવનું પુજન કરવામાં આવે છે.અને વનસ્પતિ ઉગી નીકળતાં એમાંથી વિવિધ પ્રકારના વૃક્ષોનાં,પાન,ફળ છાલનો ઉપયોગ કરીને અકૅ બનાવીને તેને દરેક વ્યક્તિને આપવામાં આવે છે.
આ પ્રસંગે ગામના ભગત અને સરપંચશ્રી ગામના યુવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. નાંદુરીયા દેવનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને આ દિવસે વર્ષ દરમિયાન મજુરીના વિવિધ પ્રકારના દર નક્કી કરવામાં આવે છે. આદિવાસી પરંપરાગત રીતે પ્રકૃતિનું પુજન અર્ચન કરવામાં આવે છે. ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નાંદુરીયા દેવ
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.

આ તહેવારમાં નારીયેળ ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની આહુતિ આપી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાની સામે ટકી રહે જેથી તેમનો જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે. આદિવાસીઓની આ ધાર્મિક વિધિ જોવાલાયક હોય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top