ભાવનગર: ઉમરાળા-ધોળા વચ્ચે મેલડી માતાજીના મંદિર પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ વાતની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવક કોણ છે તે અંગે તપાસ હાથ ધરી છે.
ભાવનગર: ઉમરાળા-ધોળા વચ્ચે મેલડી માતાજીના મંદિર પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ વાતની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવક કોણ છે અને ક્યાં રહે છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. યુવાનની જે સ્થિતિમાં લાશ મળી આવી છે તેને લઈ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. યુવકને માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. ઉમરાળા પોલીસ દ્વારા અજાણ્યા યુવકની લાશને સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


.png)