નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના બે કેબિનેટ પ્રધાનો, જેઓ ગુરુવારથી રાજ્યસભાના સભ્ય બનવાનું બંધ કરશે, તેમણે પ્રક્રિયા અનુસાર કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું (Mukhtar Abbas Naqvi RCP Singh to resign) આપી દીધુ છે.
રાજ્યસભાનો કાર્યકાળ: લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી અને સ્ટીલ પ્રધાન આરસીપી સિંહનો રાજ્યસભાનો કાર્યકાળ ગુરુવારે સમાપ્ત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલીવાર બન્યું છે કે, જ્યારે કોઈ વર્તમાન પ્રધાન સંસદના બંને ગૃહોમાંથી બહાર રહ્યા હોય.


