મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની વિદાય હવે લગભગ નિશ્ચિત છે. રાજકીય ઉથલપાથલના ત્રીજા દિવસે શિવસેનાના 41 ધારાસભ્યો સહિત 50 ધારાસભ્યો ગુવાહાટી પહોંચી ગયા છે. શિંદેને પક્ષપલટા વિરોધી કાયદામાંથી બચવા માટે માત્ર 37 ધારાસભ્યોની જરૂર છે. આ આંકડા દર્શાવે છે કે તેમની પાર્ટી પર સંપૂર્ણ પકડ છે. બીજી તરફ શિવસેનાના 19માંથી 9થી વધુ સાંસદોએ પણ એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યા વધી શકે છે.
સીએમ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના મોટા નેતાઓ સાથે મીટિંગ શરૂ. આમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. ઠાકરે તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે. 2. ધારાસભ્યોની જેમ શિવસેનાના 19માંથી લગભગ 9 સાંસદો પણ ઉદ્ધવનો પક્ષ છોડી શકે છે. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે, થાણેના લોકસભા સાંસદ રાજન વિચારે, વાશિમના સાંસદ ભાવના ગવલી અને નાગપુરના રામટેકના સાંસદ કિરપાલ તુમાનેના નામ સામે આવ્યા છે. સત્તા પરિવર્તનની સાથે જ ઘણા વધુ સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં આવશે.
1. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું- ઉદ્ધવ ઠાકરે પાસે હજુ પણ પૂર્ણ બહુમતી છે. જ્યારે પણ અમને ફ્લોર ટેસ્ટ કરવાની તક મળશે, અમે તેને સાબિત કરીશું.
2. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું – આસામના લોકો પૂરથી પરેશાન છે. પરંતુ હિમંતા સરકાર તેનાથી છુટકારો મેળવવાને બદલે મહારાષ્ટ્રમાં સરકારને ઉથલાવી નાખવામાં લાગેલી છે.



.png)