મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, જેમણે આજે એક વિડિયો નિવેદન બહાર પાડ્યું હતું, તેમણે કહ્યું હતું કે ભાજપે શિવસેનાની પીઠમાં છરો માર્યો હતો અને તેઓ તેમની સાથે જોડાણ કરી શકતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપનો એજન્ડા ઘર્ષણ કરાવવાનો છે.
એકનાથ શિંદે પર તેમણે
કહ્યું, "એકનાથ શિંદેનો પુત્ર શિવસેનાનો સાંસદ છે, મેં તેમના માટે બધું જ કર્યું છે. મારી પાસે જે વિભાગ હતો તે શિંદેને આપવામાં
આવ્યો હતો. પરંતુ તેઓ મારા પર અનેક આરોપો લગાવી રહ્યા છે. મેં બધું એકનાથ શિંદે
માટે કર્યું છે."


